*ટુંકી વાર્તા * વાર્તા’ પ્રાચીન અને સર્વકાલીન છે, પણ ‘ટૂંકીવાર્તા’ કે ‘નવલિકા’ એ અર્વાચીન ને આધુનિક, અન્ય સ્વરૂપોની અપેક્ષાએ મોડું કે પાછળથી ઉદ્ભવેલ ટૂંકું કથાત્મક સાહિત્ય સ્વરૂપ છે. કેટલાક વાર્તાને ભારતીય પરંપરાને સ્વરૂપ ગણવા મથે છે તો તેના મૂળ ‘પંચતંત્ર’ની વાર્તાઓ જેવી સંસ્કૃત વાર્તાઓમાં શોધે છે. પણ એ શોધ મિથ્યા છે. કારણ કે ટૂંકીવાર્તા એ સંપૂર્ણ પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપ છે. * ટૂંકીવાર્તા: ઉદ્ભવ-વિકાસ:- યુરોપમાં પણ ટૂંકીવાર્તાના મૂળ પ્રાચીન કથાત્મક કૃતિઓમાં શોધવાના પ્રયત્ન થયા છે. પ્રાચીન ગ્રીક સંવાદો, રોમના પ્રાચીન ‘રોમાન્સ’ પુનઃજાગૃતિ યુગની ધૂર્ત કથાઓ, સાહસકથાઓ અને પશુ-પંખીની વાર્તાઓ-કથાઓ, ઈશપની બોધકથાઓ જેવી વાર્તાકૃતિઓમાં વાર્તાતત્વ અવશ્ય છે પણ તેમાંના દેવીતત્વ, અદ્ભુત ચમત્કારો, કલ્પના વિલાસ વર્ણન વગેરે અર્વાચીન વાર્તાના લક્ષણો નથી. જૂની વાર્તા પરંપરા છે. તેથી ટૂંકીવાર્તા એ પશ્ચિમમાં સર્જાયેલી પણ અર્વાચીન ને આધુનિક સ્વરૂપ છે. તેનું અનુસંધાન પ્રાચીન વાર્તાકૃતિઓ સાથે નથી. ટૂંકીવાર્તા એ ૧૯મી સદીમાં અમેરિકામાં શરુ થયેલું સાહિત્યસવરૂપ છે. ભારતમાં ૨...